ઝાડ પર કેમ રંગવામાં આવે છે સફેદ અને લાલ રંગના પટ્ટા? જાણો તેની પાછળના આ છે અનેક વૈજ્ઞાનિક કારણો…

ક્યાંક આવતા-જતા સમયે ખાસ કરીને તમે જોયું હશે કે રસ્તાના કિનારે ઝાડની ઉપર સફેદ કે લાલ રંગના કલરથી રંગવામાં આવે છે. પરંતું શું તમે ક્યારે આ અંગે વિચાર્યું છે કે એવું કેમ કરવામાં આવે છે? ખરેખર તેની પાછળ ઘણા વૈજ્ઞાનિક કારણ છે જેના અંગે કદાચ જ તમે જાણતા હશો.

ઝાડના નીચલા ભાગમાં રંગવાની આ પદ્ધતિ ખૂબ જૂની છે. આની પાછળનો હેતુ લીલોતરીવાળા વૃક્ષોને વધુ શક્તિ આપવાનો છે. તમે જોયું જ હશે કે ઝાડમાં તિરાડો પડે છે અને તેની છાલ નીકળવાનું શરૂ થાય છે, જેના કારણે ઝાડ નબળા પડે છે. તેથી જ તેને રંગવામાં આવે છે, જેથી તેમની શક્તિ રહે અને ઝાડની ઉંમર લાંબી રહે.

વૃક્ષો રગંવા પાછળનો એક હેતુ તે છે કે તેમાં કીડા કે કોઇ જંતુ ન થાય કારણ કે આ જંતુઓ કોઈપણ ઝાડને અંદરથી ખોખલા બનાવી દે છે. પરંતુ પેઇન્ટિંગથી ઝાડમાં જંતુઓ જતા નથી, જેથી તે સુરક્ષિત રહે.

पेड़ों पर बनीं सफेद रंग की पट्टियां

ઝાડને રંગવાથી તેમની સલામતીમાં પણ સુધારો થાય છે. આ સૂચવે છે કે તે વૃક્ષો વન વિભાગની નજરમાં છે અને તેને કાપી શકાય પણ નહીં.

કેટલાક સ્થળોએ ઝાડને રંગ આપવા માટે ફક્ત સફેદ રંગનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ ઘણી જગ્યાએ લાલ અને વાદળી રંગનો ઉપયોગ પણ થાય છે.

રાષ્ટ્રીય ધોરીમાર્ગની બાજુનાં રસ્તાના ઝાડને પણ સફેદ રંગથી રંગવામાં આવે છે, જેથી રાતના અંધારામાં પણ, આ ઝાડ તેમની ચમકને લીધે સરળતાથી જોઇ શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *