જાંબુના ઠળિયા ના ચુર્ણ ખાવાથી અનેક બીમારીઓ દૂર થાય છે
જાંબુના ઠળિયાને ભેગા કરી સરખી રીતે ધોઈ લો અને પછી તડકામાં સુકાવા માટે રાખો. ઠળિયા સરખી રીતે સુકાય જાય એટલે તેની છાલ ઉતારી લો. તેનો પાવડર કરતા પહેલા તેના નાના-નાના ટુકડા કરી લો જેથી તેનો પાઉડર કરવામાં સરળતા રહે. પાવડર બનાવ્યાં પછી તેને કાંચની બોટલમાં ભરી લો. રોજ જાંબુ ખાવાથી બોડીને એવા અનેક ન્યૂટ્રિઅન્ટ્સ મળે છે જેનાથી અનેક બીમારીઓ દૂર થાય છે.
પાચન શક્તિ મજબૂત
જાંબુના ઠળિયાનું ચૂરણ નિયમિત લેવાથી પાચન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે અને પાચન શક્તિ વધારે મજબૂત બને છે.
પથરીમાં લાભદાયી
કિડનીની પથરીથી પીડાતા લોકો માટે જાંબુના ઠળિયાનું ચૂરણ વરદાનથી ઓછું નથી. રોજ સવાર સાંજ એક એક ચમચી ચૂરણ લેવાથી કિડનીની પથરીમાં રાહત મળે છે. આ ઉપરાંત પેશાબમાં થતી તકલીફો પણ દૂર થાય છે.
દાંત બનશે મજબૂત
દાંતને મજબૂત અને સુંદર બનાવવા માટે જાંબુના ઠળિયા ખુબ જ ફાયદાકારક છે. તેના માટે તમારે જાંબુના ઠળિયાને ભેગા કરી અને તડકે સુકવી દેવા જોઈએ. ત્યારબાદ તેને પીસી અને તેનું ચૂરણ બનાવી લેવાનું છે. આ ચૂરણને રોજ દાંત ઉપર લગાવવાથી દાંત અને પેઢા પણ મજબૂત બનશે અને દાંતની પીળાશ પણ દૂર થશે.
ટોયલેટમાં લોહી
જે લોકોને ટોયલેટમાં જતી વખતે લોહી પડતું હોય એવા લોકોએ જાંબુના ઠળિયાના ચરણનું સેવન જરૂર કરવું જોઈએ. તેનાથી ઘણો જ ફાયદો મળે છે.
ડાયાબિટીઝ
ડાયાબિટીઝના દર્દીઓ પણ ખુબ જ વધી રહ્યા છે તો તમે અથવા તમારું કોઈ પરિચિત આ સમસ્યાથી હેરાન થતું હોય તો તેમને રોજ સવારે એક ચમચી જાંબુના ઠળિયાનું ચૂરણ હલકા ગરમ પાણી સાથે આપી દેવું. તેનાથી ખુબ જ ફાયદો મળશે.
માસિક દરમિયાન થતા દર્દમાં રાહત
મહિલાઓને માસિક ધર્મ દરમિયાન દુખાવો થતો હોય છે તો તેમાં જાંબુના ઠળિયાનું ચૂરણ ખુબ જ લાભકારક છે. રોજની એક ચમચી ચૂરણ આ સમસ્યામાં ઘણો જ ફાયદો આપે છે.