સવારે ભુખ્યા પેટે પીવો એક ગ્લાસ અજમાનું પાણી થશે આ અદભુત ફાયદા…
ઘરગથ્થું ઔષધોથી તરીકે અજમાનો ઉપયોગ પ્રાચીન કાળથી ભારતમાં થતો આવ્યો છે. વાયુ કરનાર વાલ અને ગુવાર ના શાક ને અજમાનો વઘાર આપવાથી વધારે ગુણકારી તેમજ સ્વાદિષ્ટ બને છે.
આમ તો અજમો આખા દેશમાં થાય છે પણ બંગાળ, દક્ષીણ ભારત અને પંજાબમાં તેનું ઉત્પાદન વધારે છે. અજમાના આશરે એકથી બે ફુટ ઉંચા છોડ થાય છે. ઇન્દોર અને દક્ષિણ હૈદરાબાદમાં તેનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે.
અજમો પાચન કરનાર, રુચી ઉત્પન્ન કરનાર, તીક્ષ્ણ, ગરમ, તીખો, હલકો, અગ્નિને પ્રદીપ્ત કરનાર, કડવો અને પિત્ત ઉત્પન્ન કરનાર છે. એ વાયુ, કફ, પેટનો આફરો, બરોળ અને કૃમિને મટાડનાર છે.રોજ સવારે એક ચમચી અજમાને બે ગ્લાસ પાણીમાં ઉકાળવો, આ પાણી એક ગ્લાસ જેટલું બચે ત્યારે ગેસ બંધ કરી પાણીને ઠંડું કરી લેવું. સારી રીતે ખેડેલી સેન્દ્રીય જમીન તેને વધુ અનુકૂળ આવે છે તેના છોડ આશરે હાથ-દોઢ હાથ જેટલા ઊંચા વધે છે.
મોઢાની દુર્ગંધ
આપણા રોજિંદા ભોજન પછી અથવા તો બીજા કારણોસર આપણા શ્વાસોશ્વાસમાં અને મોઢામાંથી દુર્ગંધ આવવાની સમસ્યા આવતી હોય છે. તો થોડા અજમાને પાણીમાં ઉકાળી લો અને તે પાણીથી દિવસમાં બે-ત્રણ વખત કોગળા કરવા પર બે-ત્રણ દિવસમાં દુર્ગંધ ખતમ થઈ જશે.
શરદી સળેખમ
અજમામાં ભરપૂર માત્રામાં એંટિઓક્સિડેંટ્સ અને બળતરારોધક તત્વ મળી આવે છે, જેનાથી ન ફક્ત છાતીમાં જામેલા કફથી છૂટકારો મળે છે. બંધ નાક કે શરદી થવા ઉપર અજમાને અધકચરો વાટીને એક કપડામાં બાંધીને સુંઘો. શરદીમાં ઠંડી લાગે તો થોડો અજમાને સારી રીતે ચાવો અને ચાવ્યા પછી પાણી સાથે ગળી લો. એક કપ અજમાનું પાણી પીવાથી માથાના દુ:ખાવામાં રાહત મળે છે.
વજન ઓછું કરે
અજમો મોટાપો ઓછો કરવામાં પણ ઉપયોગી રહે છે. અજમા ના પાણી નું સેવન કરવાથી તમારા વજનમાં તુરંત ઘટાડો થાય છે. રાત્રે એક ચમચી અજમાના એક ગ્લાસ પાણીમાં પલાળી દો. ત્યારબાદ તેને ઉકાળો. તે પાણી અડધું થાય ત્યાં સુધી તેને ઉકાળો.
પાચન ક્રિયા
ઘણી વ્યક્તિઓને પેટનો દુખાવો વારંવાર રહેતો હોય છે. પાચનતંત્ર અને સારું કરી અને ભૂખ લગાડવામાં પણ મદદ કરે છે. અજમો, સંચળ અને સૂઠનુ ચુરણ બનાવીને તેની ફાંકી મારી શકો છો. આવુ કરવાથી ગેસ નહી બને.
ખાંસી
અજમાના રસમાં બે ચપટી કાળા મરી ભેળવીને તેનું સેવન કરો અને તેનું ગરમ પાણી પી લો. આમ કરવાથી તાવ પછી થયેલી ખાંસી અને ગળાની ખરાશમાં તમને રાહત મળશે.
ડાયાબિટીસ
ડાયાબિટીસના દર્દીઓએ રોજે ખાલી પેટ એક ચમચી અજમો ખાવો જોઈએ. તેમજ રોજ આ પાણી પીવાથી આ બીમારી થવાની શક્યતાઓ પણ ઘટી જાય છે.