માત્ર આ આયુર્વેદિક ઉપાય થી ખુલી જશે બ્લોક નળી, જાણો કઇ રીતે ????
આજકાલ ભાગદોડ વાળી જીવનશૈલીના કારણે દરેક લોકોની ખાણીપીણી બદલાઈ ગઈ છે. બજારનું ખાવાનું વધી ગયું છે, જેના કારણે ઘણી સમસ્યા થાય છે. કારણે કોઇને કોઇ કોઈ પણ બીમારીથી પરેશાન હોય જ છે. જેમાથી એક સમસ્યા છે નળી બ્લોકેજની. આજ કાલ તો હાર્ટ એટેક આવવાનો આકડો ખૂબ વધી ગયો છે ને દરેક લોકો તેને નજર માં લેતા નથી પણ તે ખૂબ ભયાનક હોય છે આ ઉપચાર થી દરેક લોકો હદય ની નળી ને બ્લોક હોય તો પણ ખૂલી જશે
નળીઓ બ્લોક થતી હોય કે થઈ હોય તેવા લોકોને ખુબ જ સમસ્યા થતી હોય છે. નળી બ્લોકેજની સમસ્યા જે યુવાઓમાં પણ ખૂબ જોવા મળી રહી હતી. જોકે, તેનું એક કારણ ઘણી હદ સુધી વધતું પ્રદુષણ પણ છે. જોકે આવા સમયે સ્ટેન્ટ મુકાવીને ઍન્જિયોપ્લાસ્ટી કરાવવી કે બાયપાસ સર્જરી કરાવવી એ એક મહત્વનો નિર્ણય હોય છે. પહેલા આ સમસ્યા 60-70ની ઉંમરમાં જોવા મળી હતી.
આયુર્વેદિક ઉપાય:
બ્લોકકેજ નળી ખોલવા માટે ૧ ગ્રામ તજ, 10 ગ્રામ કાળામરી, તમાલપત્ર, મગજતરી, સાકર(આખી), અખરોટ, અળસી કુલ બધુ મળીને 61 ગ્રામ આ બધી વસ્તુ રસોડામાંથી જ મળી જશે. આ બધી વસ્તુને મિક્સરમાં વાટીને પાવડર બનાવી, નાની નાની પડીકી બનાવી લેવી. દરરોજ એક પડીકું સવારે ખાલી પેટ નવશેકા(હુંફાળું) પાણી સાથે લેવુ. એક કલાક સુધી કંઈ જ ન ખાવું. પગથી લઈને માથા સુધીની કોઈ પણ બંધ નળીખુલી જશે.
ભૂખ્યા પેટે કરવું દવાનું સેવન :-
હાર્ટ પેશન્ટ જો આખા જીવન દરમિયાન આ ખોરાક લેતા રહેશે તો હાર્ટએટેક કે લકવો નહી થાય. દરરોજ સવારે ભૂખ્યા પેટે આ વસ્તુનું સેવન કરવું જોઈએ અને આ ઔષધિ ને ત્યાં સુધી સેવન કરવું જોઈએ કે જ્યાં સુધી સમસ્યા દૂર ન થાય. આ દવાનું સેવન કરવા માટે સવારે ભૂખ્યા પેટે પાણી સાથે આ દવાનું સેવન કરવું જોઇએ. અને આ નુસખાઓ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.
કોલેસ્ટ્રોલ :-
આરોગ્ય વર્ધિની વટી, ત્રિફલા ગૂગળ તથા ગોમૂત્ર હરીતકીની બે બે ટીકડી સવાર સાંજ પાણી સાથે લેવાથી લોહીમાં વધેલું કોલેસ્ટરોલ ઘટે છે. અને લોહીમાં રહેલી ચીકાશ કે ચરબીના અંશો ઓછા થવાથી નળીઓ ધીમે ધીમે ખૂલવા લાગે છે. પ્રભાકરવટી બે બે ગોળી સવાર સાંજ પાણી સાથે લેવી. તેનાથી હૃદયરોગનો એટેક થવાની શક્યતા ઘટે છે.
હૃદયની તકલીફ હોય એવી વ્યક્તિ માટે સૌથી અગત્યની વાત છે. ટેન્શન મુક્ત જીવન. શરીર કે મન પર તાણ ન હોય તે ખાસ જરૂરી છે. આ માટે ‘શવાસન ધ્યાન’ સૌથી વધારે ઉપયોગી થશે. નળીઓ બ્લોક થતી હોય કે થઈ હોય તેવા લોકોએ તળેલો ખોરાક ન ખાવો. તેલ વઘાર પૂરતું થોડા પ્રમાણમાં અને તે પણ તલનું જ વાપરવું.
ઔષધી :-
બ્લોક થયેલી નળી માટે અશ્મરી ભેદી ક્વાથ તથા અશ્મરીહર ક્વાથ સરખા ભાગે મેળવી તેમાંથી ચાર ચમચી જેટલું પ્રવાહી એટલું જ પાણી મેળવીને પીવાથી લાભ થશે. અશ્મરી કંડન રસની બે બે ગોળી સવાર સાંજ પાણી સાથે લેવી. આદુંઆ એક લાભકારક ઔષધી છે જેના સેવનથી હૃદયને ઓઈલ જેવું કામ મળે છે.બીલબેરી આ એક કરમદા જેવું ફળ છે જેમાં ખુબ જ સારા ગુણો રહેલા છે. ધમનીમાં લોહીના પ્રવાહને વધારે છે.
અજવાઈનના પાન :-
લોહી નો પ્રવાહ વધારે થવાથી શરીર ની નળીઓ સ્વસ્થ રહે છે. પીળાં ફૂલવાળું એક ચીની કે જાપાની ઝાડ આ એક પ્રકારનું ચાઇનીઝ ફળ છે જે શરીરમાં લોહીના પ્રવાહને વધારે છે. ઓરેગાનો આ અજવાઇનના પાંદડા હોય છે જેને પ્રાકૃતિક જડીબુટ્ટી સાથે મિક્ષ કરીને સેવન કરવાનું હોય છે.તેના થી શરીરની નળી ઓ સ્વસ્થ રહે છે.