બીટ છે આપણા સ્વાસ્થ્ય માટે રામબાણ ઇલાજ, તો જાણી લો આજે તેના અદભુત ફાયદાઓ…

બીટરૂટનો ઉપયોગ મોટાભાગના લોકો સલાડ તરીકે કરે છે. કેટલાક લોકો તેનો જ્યૂસ પણ પીવે છે. બીટરૂટમાં આયરનની માત્રા વધુ હોય છે.

આ જ કારણે છે કે લોહીની ઘટ કે એનીમિયાના શિકાર લોકોને બીટરૂટ ખાવાની સલાહ આપવામાં આવે છે. બીટરૂટને ખાવાથી પાચન પણ સારું રહે છે કારણ કે તેમાં ફાઇબર પણ હોય છે. આ ઉપરાંત તે પુરુષોના યૌન સ્વાસ્થ્યને પણ સારું રાખે છે.

ઇરેક્ટાઇલ ડિસફંક્શનમાં છે ફાયદારૂપ –

વર્ષ 2014માં થયેલી એક સ્ટડી મુજબ, રોજ એક કપ બીટરૂટનો જ્યૂસ પીવાથી બ્લડ પ્રેશર ઓછું રહે છે. પુરુષોમાં જો ઇરેક્ટાઇલ ડિસફંકશનની સમસ્યા નિયમિત રીતે હાઈ બ્લડ પ્રેશરના કારણે છે તો નિયમિત બીટરૂટનો જ્યૂસ પીવાથી તેમાં સુધાર આવી શકે છે.

એનીમિયામાં છે ફાયદારૂપ – બીટરૂટમાં આયરન ભરપૂર માત્રામાં હોય છે. તે શરીરમાં હીમૉગ્લોબિન વધારવામાં મદદ કરે છે. એનીમિયાના કારણે શરીરમાં હીમૉગ્લોબિન બનવાનું ઘણું ઘટી જાય છે. એવામાં નસોમાં ઑક્સિજનનો સંચાર ઓછો થઈ જાય છે. એનીમિયાના કારણે શરીરમાં થાક, શ્વાસ લેવામાં તકલીફ, ચક્કર આવવા જેવી અનેક સમસ્યાઓ થઈ શકે છે.

પ્રેગનન્સીમાં બીટરૂટનું સેવન ઘણું ફાયદારૂપ છે. બીટરૂટમાં એવા અનેક પોષક તત્વ મળે છે જે ગર્ભવતી મહિલાના ગર્ભમાં ઉછરી રહેલા બાળકના સર્વાંગી વિકાસમાં મદદ કરે છે.

મૂળે, બીટરૂટ ફૉલેટ એટલે કે ફૉલિક એસિડનો મહત્વપૂર્ણ સ્ત્રોત છે. આ તત્વ ગર્ભસ્થ શિશુના વિકાસ માટે ઘણું મહત્વપૂર્ણ છે. પ્રેગનન્સીમાં બીટરૂટનું સેવન કરવાથી બાળકોનું મસ્તિષ્ક સારી રીતે વિકસે છે. તેની સાથોસાથ ટિશ્યૂનું પણ નિર્માણ ઝડપથી થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *