
મિત્રો શરીરમાં કેલ્શિયમની કમી થવાથી માંસપેશી અને હાડકા સંબંધી બીમારી થાય છે. શરીરમાં કેલ્શિયમની કમીથી અનેક વિકૃતિઓ આવે છે. કેલ્શિયમની ઉણપથી હાડકા ઉપરાંત રક્ત સંબંધી અનેક રોગો થઇ શકે છે.
આયુર્વેદ અનુસાર એવું કહેવાય છે કે કફ ની સમસ્યા પણ કેલ્શિયમની કમીથી થાય છે. કેલ્શિયમ એક માઈક્રોન્યુટ્રીયંટ છે જે સુક્ષ્મ પોષક તત્વ છે જે શરીરમાં રહે ત્યારે જ અન્ય પોષક તત્વ રહે છે. અને 2 રૂપિયામાં મળતો ચૂનો શરીરમાં કેલ્શિયમનું પ્રમાણ વધારી શરીરને અનેક બીમારીથી બચાવે છે.
ગર્ભવતી સ્ત્રી માટે
ગર્ભાવસ્થા દરમિયાન ચૂનાનું સેવન બાળક અને માતા બંને માટે લાભદાયી સાબિત થાય છે. તમને જણાવી દઈએ કે જ્યારે મહિલા ગર્ભવતી હોય ત્યારે તેને કેલ્શિયમની ખાસ જરૂરીયાત હોય છે. એવામાં ચૂનો કેલ્શિયમનો સૌથી શ્રેષ્ઠ સ્ત્રોત હોય છે. તેના માટે ગર્ભવતી મહિલાએ આ રીતે ચૂનાનું સેવન કરવું જોઈએ. એક ગ્લાસ દાડમનો રસ લેવો તેમાં એક ઘઉંના દાણા બરાબર ચૂનો ઉમેરવો અને તેનું રોજે નિયમિત નવ મહિના સુધી સેવન કરવું.
આ રીતે જો ગર્ભવતી મહિલા નવ મહિના સુધી ચૂનાનું સેવન કરે છે તો સૌપ્રથમ તો બાળકને જન્મ આપતા સમયે તકલીફ ઓછી થશે અને નોર્મલ ડીલેવરી થશે. આ ઉપરાંત હૃષ્ટ પૃષ્ટ અને તંદુરસ્ત બાળક જન્મે છે. તેમજ જે બાળકની માતા ચૂનાનું સેવન કરે છે તેનું બાળક જીવનમાં ઝડપથી બીમાર નથી પડતું અને સ્વસ્થ રહેશે. આ ઉપરાંત તે બાળક હોશિયાર અને બુદ્ધિમાન બને છે.
હાડકા સંબંધી દરેક સમસ્યા દુર કરે છે
આપણા કરોડરજ્જુના મણકામાં ગેપ વધી જતા કરોડરજ્જુ સંબંધી સમસ્યા થાય છે તેમાં ચૂનો ખુબ જ ફાયદાકારક રહે છે. જયારે હાડકું તૂટી જાય છે ત્યારે તેને જોડવા માટે ચૂનો સૌથી કારગાર સાબિત થાય છે. તૂટેલા હાડકાને ઝડપથી જોડવા માટે રોજે સવારે ખાલી પેટ ચૂનાનું સેવન કરવું જોઈએ. આ ઉપરાંત ગોઠણ, કમર તેમજ ખભાનો દુઃખાવો ઠીક થાય છે.
મોં માટે અને લોહીની ઉણપ સંબંધી બીમારી
મોં માં સેન્સીવીટી એટલે કે કંઈ પણ ગરમ કે ઠંડુ વસ્તુના સેવનથી દાંતમાં દુઃખાવો થતો હોય તેમજ મોં માં ચાંદા પડ્યા હોય તો તેના માટે ચૂનાનું પાણી પીવાથી તે ઠીક થઇ જાય છે. જે લોકોના શરીરમાં હિમોગ્લોબીનની કમી હોય તેમજ એનેમિયા જેવી સમસ્યા હોય તો તે વ્યક્તિએ સંતરાના રસ સાથે ઘઉંના દાણા બરાબર ચુનાનું સેવન કરવું જોઈએ. તેનાથી શરીરમાં ઝડપથી રક્ત બનવા લાગશે.
મહત્વનો સવાલ કે, કેટલી માત્રામાં ચૂનાનું સેવન કરવું ?
મિત્રો જયારે પણ તમે ચૂનાનું સેવન કરોછો ત્યારે તમારે માત્ર ઘઉંના દાણા બરાબર ચૂનાનો ઉપયોગ કરવાનો છે. ચુનાનું દહીં, છાશ અથવા તો પાણી સાથે સેવન કરવું. આ ઉપરાંત દાળમાં ચૂનો મિક્સ કરીને પણ ખાઈ શકો છો.
ચૂનાનું આ રીતે સેવન 15 દિવસ સુધી નિયમિત કરવું જોઈએ ત્યાર બાદ થોડા દિવસ માટે છોડી દેવું. છ મહિના સુધી આવું કરવાથી શરીરમાં કેલ્શિયમની કમી દુર થશે. અને તેની સાથે અનેક સમસ્યા દુર થશે. તમને જાણીને નવાઈ લાગશે આયુર્વેદના મહાન આચાર્ય વાગ્ભટ્ટએ ચૂનાના અનેક ફાયદા જણાવ્યા છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે જયારે પણ પાન ખાઓ તો ચૂનાની સાથે ખાવું જોઈએ.